મોરબી : 14 વર્ષનો સગીર સ્કુલ જવા નીકળ્યા બાદ લાપતા

- text


ગુમ થયેલા સગીર વયનાં મહેશને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

મોરબી : લખધીરનગર નવાગામના રહેવાસી મનુભાઈ અમરશીભાઈ સુરેશા જાતે કૉળીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે. તેનો સગીર વયનો પુત્ર મહેશ ઉર્ફે લાલો મનુભાઈ ઉ.વ.૧૪ ગત તા.૫ જુલાઈનાં રોજ સવારે ૬.૩૦ વાગ્યે પટેલ બોર્ઙીંગ સ્કુલે જવા માટે ઘરેથી નિકળ્યો હતો જે પરત ન ફરતા તપાસ કરતા લીલાપર ચોકઙીએ છકઙો રિક્ષામાથી ઉતર્યા બાદ સ્કુલે પહોચ્યો જ ન હતો. જેમા તેના પિતાએ આ અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે મનુભાઈની ફરીયાદ પરથી આઈપીસી ૩૬૩ ઉજબ ગુન્હો દાખલ કરી ફરીયાદીના પુત્રને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ સીપીઆઈ એલ એલ ભટ્ટ ચલાવી રહ્યા છે.⁠⁠⁠⁠

- text

- text