ટંકારા : કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાએ દયાનંદ સરસ્વતીનાં જન્મસ્થળની મુલાકાત લીધી

- text


ટંકારા : દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ અને ગુરૂકુળની મુલાકાતે કેન્દ્રિય મંત્રી જે. પી. નડ્ડા આવ્યા હતા. જેમણે ઋષીનાં આઝાદ ભારતના પ્રથમ ઉદબોધકને નમન કર્યું હતું. વૈચારિક ક્રાંતિના મહાન જનક અને સમાજ સુઘારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં ભારત સરકારના કેન્દ્ર પ્રધાન જે પી નડ્ડા આવી પહોંચ્યા હતા. જ્યાં ગુરૂકુળના આચાર્ય રામદેવજી, રમેશભાઈ, હસમુખજીએ ટ્રસ્ટની પદ્ધતિથી વાકેફ કરી માહિતગાર કર્યા હતા. જન્મકક્ષ અને વિશાળ સમાજમા મંત્રીશ્રીએ પગપાળા લટાર મારી હતી અને સાત્વિક ભોજન પણ આરોગ્યું હતુ. આ તકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, ટંકારા ભાજપ આગેવાન કાર્યકરો અને મામલતદાર ટીડીઓ, ફોજદાર સહિતના હાજર રહ્યા હતા

- text