મોરબીમાં બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનાર યોજાયો

- text


મોરબીમાં શનાળા રોડ ખાતે આવેલી  પી.જી.પટેલ કૉલેજમાં આજે બીબીએ.વિદ્યાર્થીઓની માટે 1:30 કલાકનો મોટિવેશન સેમિનાર  યોજયો હતો. જેમા દિગન્તભાઇ ભટ્ટએ બીબીએના વિદ્યાર્થીઓ ને પર્સનલ ડેવલોપમેન્ટ અને માર્કેટિંગ માટે નું જ્ઞાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રૉજા  તથા પ્રિન્સિપાલ ડૉ. રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે મોટી સંખ્યામાં બીબીએ ના વિધ્યાર્થીઓ હાજર રહીને આ લેક્ચરનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોફેસર કેતન કડિવાર અને હેમંગ ઠક્કર સહિતના સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી.⁠⁠⁠⁠

- text