“અમારે દીકરો જોઈએ છે દીકરી નહિ”, તેમ કહી સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપ્યો

- text


પરિણીતાએ પતિ, સસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેરમાં પરિણીતાએ દીકરીને જન્મ આપતા નારાજ થયેલા તેના પતિ સહિતના સાસરિયાઓએ ‘અમારે દીકરો જોઈએ છે. દીકરી નહિ’ તેમ કહીને પરિણીતાને ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ પતિ સસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબીના મહિલા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ અમદાવાદમાં રહેતી મૂળ વાંકાનેરના ડૉ. આંબેડકર નગર, શેરી.નં-૩ના વતની વૈશાલીબેન બાલકીશન પરમાર (ઉ.વ.-૨૪) નામની પરિણીતાએ તેના પતિ બાલકિશનભાઈ દેવજીભાઈ પરમાર તથા સાસરિયાઓ દેવજીભાઈ મોહનભાઈ પરમાર ગીતાબેન દેવજીભાઈ પરમાર (રહે-બધા અમદાવાદ અમરાઈવાડી સ્વસ્તીક ચાર રસ્તા ચામુંડા નગર શેરી.નં-૧ જોગણી માંના મંદિર પાસે “ગંગા”) સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીને ત્યા દિકરીનો જન્મ થતા આરોપીઓએ ફરીયાદીને કહેલ કે ‘અમારે તો દિકરો જોઇતો હતો દિકરી નહી’ આમ કહી નાની-નાની બાબતોમા વાત-વાતમા ઝઘડાઓ કરી આ કામના ફરીયાદીને ગાળો આપી મારકુટ કરી મેણા ટોણા મારી શારિરીક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text