તીડના ઉપદ્રવની સંભાવના ધ્યાને રાખી સાવચેતીના પગલા લેવા ખેડૂતોને અનુરોધ

- text


મોરબી : રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે કે જે રણતીડના ટોળા હજારો માઈલ દુરના દેશોમાં જઈ મોટું નુકશાન કરે છે. મોરબી જીલ્લામાં રણતીડ ઉપદ્રવની શક્યતાઓ ધ્યાને લઇ અગમચેતીના ભાગ રૂપે મોરબી જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઈ દિશામાંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, કયા ગામે કઇ સીમમાં બેઠા તે અંગેની માહિતી મેળવી તુરંત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત મોરબીની કચેરીને જાણ કરવી અને તીડ કંટ્રોલ રૂમના ફોન નં ૦૨૮૨૨ ૨૨૨૭૦૯ છે.

- text

વધુમાં, ખેડૂતોએ રણતીડ જોવા મળે તો તુંરત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી), તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ)ની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવી. રણતીડ નિયંત્રણ માટે ગ્રામ કક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ સરપંચ, તલાટી, ગ્રામસેવક અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું જેમાં જીપ/ટ્રેલર/ટ્રેકટર તૈયાર રાખવું. દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપરેટેડ/ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાના આધારે ઉપદ્રવીત વિસ્તારમાં ઢળતી સાંજે બેસે ત્યારે અને વહેલી સવારના સમયે કલોરપાયરીફોસ ૨૦% EC (24મીલી), ૫૦% EC(૧૦મીલી), લેમડાસાય્હેલોથ્રીન ૫% EC(૧૦ મીલી), મેલાથીયોન ૫૦% EC (૩૭મીલી), ફીપ્રોનીલ ૫% SC (૨.૫મીલી), ફીપ્રોનીલ ૨.૯૨%EC( ૪.૫મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮%EC (૧૦મીલી), દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉપદ્રવીત વિસ્તારમાં જરૂરીયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં કરવામાં આવે છે.

- text