વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોની આર્થિક-માનસિક હાલત ખરાબ

- text


સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં કોઈ ગંભીરતા ન લેવાતા સોસાયટીની મહિલાઓનું ટોળું પોલીસ છાવણી પર ઘસી ગયા બાદ તાત્કાલિક માનસિક બિમાર વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડાયા

વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક વ્યક્તિની છેલ્લા બે દિવસથી માનસિક હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ મામલે વાંકાનેરના સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં કોઈ ગંભીરતા ન લેવાતા સોસાયટીની મહિલાઓનું ટોળું પોલીસ છાવણી પર ઘસી ગયું હતું અને મહિલાઓ દ્વારા હંગામો કરાતાં તાત્કાલિક માનસિક બિમાર વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સોસાયટીમાં રહેતા અન્ય વ્યક્તિઓ આર્થીક મુસ્કેલીમા હોવાનો પણ બળાપો ઠાલવ્યો હતો. છેલ્લા બે મહિનાથી લોકડાઉન ઉપરાંત ૨૮ દિવસના કન્ટેન્ટમેન્ટ ઝોનને લીધે સ્થાનિકો પરેશાન હોવાની આપવીતી જણાવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેના પૈસા ની વ્યવસ્થા ન હવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

- text

વાંકાનેરની અરૂણોદય નગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધને થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી, કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ સોસાયટી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને આ સોસાયટીના તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે આ લોકોને તમામ આવશ્યક સેવાઓ નિયમિત રીતે પુરી પડાતી હોવાનો તંત્રનો દાવો પોકળ સાબિત થયો હતો. જેમાં ગઈકાલે સાંજે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોનું ટોળું ભારે આક્રોશ સાથે ઘરની બહાર નીકળી ગયું હતું અને છાવણી ઉપર ઘસી જઈને બળાપો ઠાલવ્યો હતો કે તેમને જે રાશન કીટ આપવામાં આવે તે અપૂરતી હોય છે. જેથી, ઘરના બધા સભ્યોને બે ટંક ભોજન આપી શકાતું નથી. ઉપરાંત, અગાઉ લોકડાઉન અને ઉપરથી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતા બે માસથી વધુ સમયથી ઘરમાં જ પુરાઈ રહેતા અમુક લોકોની માનસિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. ઘરમાં પૈસા ખૂટી ગયા છે. તેમ કહીને લોકોએ રોષ ઠાલવતા અંતે માનસિક રીતે બીમાર પટેલભાઈ નામના વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તંત્ર તરફથી સુવિધાઓ યોગ્ય રીતે ન મળતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. બાદમાં આ મામલો થાળે પડ્યો હતો.

- text