મહેન્દ્રનગરની તક્ષશીલા વિદ્યાલયમાં બાલકલા પ્રદર્શન યોજાયું

- text


મોરબી : આજ રોજ મહેન્દ્રનગરની તક્ષશીલા વિદ્યાલય ખાતે બાલકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચિત્રકામ, વિવિધતામા એકતા, ભરતકામ, પ્રાચિન ચીજવસ્તુઓ, લુપ્ત બાળરમતો, વિજ્ઞાનના પ્રયોગો, શહીદોના ફોટા, અનાજના પ્રોજેક્ટ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમા રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમા શાળાના આચાર્ય હરજીવનભાઇ છત્રોલા, દિનેશ ગોસાઈ, શૈલેષભાઈ કુંડારીયા તથા ગામ આગેવાનો નિલેષભાઈ ધોરીયાણી, દિનેશભાઈ ઝાલરીયા તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, મોરબી જીલ્લા ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text