મોરબી : બ્રહ્મ વિકાસ પરિષદ દ્વારા શિવરાત્રી નિમીત્તે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા

- text


પરશુરામ ધામ ખાતે યોજાયેલા મહાઆરતી સહિતના કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

મોરબી : સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના દ્વિતીય સ્થાપના દિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 51 થી વધુ સ્થળોએ મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસંધાને મોરબીમાં પરશુરામ ધામ ખાતે મહાઆરતીનું આયોજન થયું હતું. આ પ્રસંગે અનેક બ્રહ્મ પરિવારોએ આરતીનો લાભ લીધો હતો.

- text

આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના ટ્રસ્ટી ભૂપતભાઈ પંડ્યા ડો અનિલભાઈ મહેતા સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ યુવા પાંખના ગુજરાત પ્રદેશ મહામંત્રી રવીન્દ્રભાઈ ત્રિવેદી ગાયત્રી પરિવારના જગદીશભાઈ ઓઝા જગદીશભાઈ દવે કિશનભાઈ ઉપાધ્યાય એમ. એમ. ઠાકર સાહેબ મનોજભાઈ પંડ્યા એન. એન. ભટ્ટ નરેન્દ્રભાઇ મહેતા મિલેશભાઈ જોશી નિરવભાઈ ભટ્ટ અરુણાબેન પંડ્યા મનીષભાઈ જોષી દિપકભાઈ દવે આર. જે. લવા સાહેબ સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે મિલેશભાઈ જોશી તથા મંત્રી તરીકે જગદીશભાઈ દવે યુવા પાંખના મોરબી જીલ્લા પ્રમુખ તરીકે નિરવભાઈ ભટ્ટ તથા પ્રાંત કારોબારી સદસ્ય તરીકે મનોજભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સર્વે આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. શિવરાત્રી નિમીત્તે ફરાળ તેમજ પ્રસાદની પણ ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text