મોરબી : દેવ ભક્તિ સાથે દેશ ભક્તિ એટલે ‘અનુપમ કા રાજા’

- text


દેશ ભક્તિની થીમ દ્વારા ગણેશોત્સવની ઉજવણી

- text

મોરબી : મોરબીમાં ઠેરઠેર ગણેશોત્સવની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના યુવાનો દ્વારા દેશભક્તિનો વિચાર ફેલાવવા અર્થે દેશભક્તિની થીમ સાથે અનુપમ સોસાયટીમાં ‘અનુપમ કા રાજા’ તરીકે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ‘અનુપમ કા રાજા’ના સ્થળે દેશના રાષ્ટ્રધ્વજ તથા ભારતમાતા, શહીદોની તસવીર સહિતના પોસ્ટરો લગાડી ગણપતિના પંડાલની સજાવટ કરવામાં આવી છે. દેવ ભક્તિની સાથે દેશભક્તિ રંગાઈ જવા માટે સોસાયટીના સભ્યો દ્વારા ધર્મપ્રેમી અને દેશપ્રેમીઓને દર્શનનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text