મોરબી : રાજપર (શનાળા) ગામે તળાવ તૂટ્યું : ધસમસતા પાણીમાં માલ-ઢોર તણાયા

- text


મોરબી : રાજપર (શનાળા) ગામ નજીક વિરપર વાળું તળાવ તૂટી જતા પુરના પાણી ગામમાં ફરી વળ્યાં છે. ઉપરવાસમાં તથા ગામમાં પણ ભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું હતું. પાણીનું દબાણ ન સહી શકતા તળાવ તૂટ્યું હતું અને તેના પાણી અચાનક ગામમાં ફરી વળતા માલધારીઓના પશુઓ પાણીમાં તણાઈ ગયા છે. ચારે બાજુ નજર કરો ત્યાં પાણી જ પાણી ફરી વળતા ગ્રામજનો પોતાની રીતે જ એક બીજાની મદદ કરી રહ્યા છે. તંત્ર હજુ ઘટના સ્થળે પહોંચ્યું નથી. ગામના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તંત્રની મદદ મંગાઈ છે.

 

- text