મોરબી : રામ વડવાળા ગ્રૂપ દ્વારા રથયાત્રામા શરબત અને પાણી વિતરણ કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી પંથકના સમસ્ત ભરવાડ અને રબારી સમાજ વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજ મહોત્સવને મચ્છુ માતાના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરે છે. ત્યારે આ વખતે પણ અષાઢી બીજે મોરબીના કાલિકા પ્લોટનું રામ વડવાળા ગ્રુપ 1500 લિટર સરબત અને 1500 લિટર પાણી વિતરણનો સેવા કેમ્પ સતત 5 માં વર્ષે કરશે.

- text

આ સેવાકાર્ય કેમ્પમાં સર્વે મોરબીના નગર જનોને આમંત્રિત કરવામા આવ્યા છે. રામ વડવાળા ગ્રુપના કેમ્પમાં ફિલ્ટર વોટર પાણી અને સરબત પીવાનો લાભ લેવા પધારવા સમસ્ત રામ વડવાળા ગ્રુપના સભ્યોએ જણાવ્યું છે. આ કેમ્પનું સ્થળ દરબાર ગઢ, ખોડીયાર માંના મંદિર પાસે રહેશે.

- text