- text
મોરબી : મોરબીના ઘુંટુ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ આજમગઢના વતની યુવાનની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ફોનમાં બોલાચાલી થતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લાનો વતની અખિલેશ ખરપતુભાઈ વર્મા ઉ.23 મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ કેરોનાઈટ કઝારીયા સિરામિક કારખાનામાં ફોર કલીપ ડ્રાઇવિંગનું કામ કરતો હતો જેને ગઈકાલે પોતાની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલાચાલી થયા બાદ લાગી આવતા પોતાની લેબર રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text