મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા કરનાર ચાર આરોપીઓ ત્રણ દિવસની રિમાન્ડ ઉપર

- text


 

મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા નિપજાવનાર તેના જ ભત્રીજા સહિતના ચાર આરોપીઓને પોલીસે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના માલિક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની ગત તારીખ 2 ના રોજ તેના જ સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ રાણા, મુકેશ ઉર્ફે મુકલો ભરવાડ તથા એક સગીર આમ કુલ ચાર શખ્સોએ મળીને હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં ગઈકાલે આરોપીઓને પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટના રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text