ટંકારાના ચા ના વેપારી રમણીકલાલ મોહનલાલ ગાંધીનું અવસાન

- text


ટંકારા : રમણીકલાલ ગાંધી(ઉ. વ. 79), તે જીવદયા માટે ખ્યાતનામ સ્વ મોહનલાલ ગાંધીના પુત્ર અને સ્વ વાડીલાલ, મનહરલાલ, પ્રવિણચંદ્ર, જયંતીલાલ અને ચંદ્રકાન્તભાઈના ભાઈ, કેતનભાઈ,વિનુભાઈ,નિટીનભાઈના પિતા તથા ચંદુલાલ મોહનલાલ સંઘવીના જમાઈનું આજ રોજ તારીખ 1 એપ્રિલે અવસાન પામ્યા છે. કિરાણાના વ્યાપારમાં મોટું નામ ધરાવતા તથા નવકાર ચાના માલિક એવા રમણીકલાલનું અવસાન થવાથી ટંકારાના વ્યાપારી આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સદ્દગતનું ઉઠમણું આજ રોજ તારીખ 1ને 4:30 વાગ્યે જૈન ઉપાશ્રય, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text