મોરબીમાં વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમને લોકોએ માણ્યો

- text


મોરબી : તા.31 માર્ચને રવિવારે સાંજે ચાર કલાકે “મેં ભી ચોકીદાર” અભિયાન અંતર્ગત વડાપ્રધાન મોદીએ દેશના મતદારો સાથે વિડીઓ કોન્ફ્રાન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશના 500 જેટલા સ્થળોએ લાખો લોકો વડાપ્રધાનના આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.


મોરબી જિલ્લામાં શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલ હરભોલે હોલમાં આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના મતદારો હાજર રહ્યા હતા. જેમાં પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાલા સહિત ભાજપ પરિવારની સાથો સાથ આમ જનતાએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને લાઈવ જોયા સાંભળ્યા હતા. સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ કેતન કાસુંદ્રા તેમજ સહ ઇન્ચાર્જ અનિલ જેઠલોજાએ તમામ વ્યવસ્થા ઉપર દેખરેખ રાખી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text