મોરબી પંથકમાં અલગ અલગ બનાવોમાં ત્રણના મોત

- text


મોરબી પંથકમાં અલગ અલગ બનાવોમાં ત્રણના મોત

રફાળેશ્વર ગામે ફેકટરીમાં દાઝેલા યુવાનનું મોત :ફાટસર ગામે યુવાનનો આપઘાત : ભડિયાદ રોડ પર વિજશોકથી યુવાનનું મોત

મોરબી : મોરબી પંથકના અલગ અલગ બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા.જેમાં રફાળેશ્વર ગામ નજીક આવેલ ફેકટરીમાં દાઝી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.જ્યારે ફાટસર ગામે યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.તેમજ ભડિયાદ રોડ પર એક યુવનનું વિજશોકથી મોત નીપજ્યું હતું.

- text

પ્રથમ બનાવી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ દેવજીભાઈ ઝલવાડિયા ઉ.વ.36 ગતતા 17ના રોજ બેલા ગામ પાસે આવેલ રફાળેશ્વર લેમીનેટ્સ નામની ફેકટરીમાં કામ કરતા હતા.તે સમયે ફેકટરીમાં હેડર પાઇપ ફાટી જતા તેઓ દાઝી જવાથી તાકીદે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં આજે તેમનું સારવાર દરમ્યાન. મોત નીપજ્યું હતું.બીજા બનાવમાં મોરબીના ફાટસર ગામે રહેતા અક્ષય રામજીભાઈ રબારી ઉ.વ.20 નામના યુવાને આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના પાનેલી ગામે રહેતા રવિ રમેશભાઈ ટીડાણી ઉ.વ.27 આજે ભડિયાદ રોડ પર આવેલ વિન્ટેજ સીરામીકમાં ટ્રક ઉપર તાલપત્રી ચડાવતો હતો તે વખતે ઉપરથી પસાર થતી વિજલાઈનને અડકી જતા તેને વિજશોક લાગવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text