ટંકારા બહુજન સમાજ પાર્ટી દ્વારા માયાવતીનો જન્મદિવસ ઉજવાયો

- text


ટંકારા : બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ,પૂર્વ સાંસદ કુ. માયાવતીના ૬૩મા જન્મદિવસ નિમિતે બહુજન સમાજ પાર્ટી ટંકારા તાલુકા યુનીટ દ્વારા એસ,સી. એસ.ટી, ઓબીસી,માઈનોરીટી અને વિચરતી વિમુક્ત જાતીના સામાજીક કાર્યકરો,આગેવાનો ,ભીમ અનુયાયી બુદ્ધિસ્ટો દ્વારા કેક કાપી ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.

સાથો સાથ સમાજના ભાવી વિદ્યાર્થી બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તેના પર ભારપૂર્વક નિર્ણયો લેવામાં આવ્યા હતા. બહેન કુ. માયાવતીના જન્મદિવસે દલિત, પિડિત, શોષિત સમાજના નાના ભુલકાઓને ભરપેટ ભોજન કરાવી, આમંત્રીત બહુજનોએ પણ સહભોજન કરી બહેનજીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા હેમતભાઈ ચાવડા, પ્રવિણભાઈ ચૌહાણ, ચમનભાઈ ચાવડા, અશ્વિનભાઈ પરમાર, ડી.ડી.સોલંકી, અમ્રૃતભાઈ ચાવડા, વિજયભાઈ ચૌહાણ, નરશીભાઈ
વગેરે મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text