વાંકાનેરના કોઠી ગામની પરિણીતા તેના ત્રણ સંતાન સાથે લાપતા

- text


વાંકાનેર : વાંકાનેરની પરિણીતા તેના ત્રણ સંતાન સાથે લાપતા બની છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના કોઠી ગામે રહેતા અંજુમબેન યુસુફભાઈ બાદી ઘઉં વર્ણ, ઉંચાઈ ૫ ફૂટ ૪ ઇંચ મરૂન કલરનો ડ્રેસ પહેરેલ તેમના ત્રણ સંતાનો ઉંમર ઉ.વ. ૨.૫ વર્ષ, ઉજમા ઉ.વ. ૯ વર્ષ તેમજ આફિયા ઉ.વ. ૫ વર્ષ સાથે ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા છે.

- text

આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને લાપતા બનેલ પરિણીતા અને તેમના સંતાનોને શોધવા માટે તપાસ આદરી છે.

- text