મોરબીમાં તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલનું 17મીએ લોકાર્પણ

- text


મોરબી, માળિયા અને ટંકારા તાલુકા વણકર સમાજ નું શંભુનાથજીના હસ્તે થશે લોકાર્પણ

મોરબી : મોરબીમાં નિર્માણ થયેલ મોરબી, માળીયા અને ટંકારા તાલુકા સમાજના તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલનું આગમી તા. 17ને શનિવારના રોજ સંત સવૈયાનાથ સમાધિસ્થળ ઝાંઝરકાના મહંત શંભુનાથજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

મોરબી,માળિયા અને ટંકારા તાલુકાના વણકર સમાજ માટે મોરબીમાં નિર્માણ થયેલ સમાજવાડી તથાગત બુધ્ધ કોમ્યુનિટી હોલનો લોકપર્ણ સમારંભ આગામી તા. 17ને શનિવારના રોજ યોજવામાં આવ્યો છે સમાજના સાથ અને સહકારથી નિર્માણ પામેલા આ સંકુલનું લોકપર્ણ સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકાના મહંત અને સાંસદ શંભુનાથજી મહારાજ તેમજ સંત ઉગમસાહેબ જન્મ સ્થળના મહંત ગોરધનબાપાના વરદ હસ્તે થશે. આ સમારંભમાં સેલટેક્સ કમિશનર પી.ડી.વાઘેલા, જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા, પૂર્વ એડી. કલેકટર હરીશ મંગલમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

- text

સમાજવાડી સંકુલમાં દાન આપનાર દાતાઓનું સન્માન અને સ્નેહમિલન પણ યોજવામાં આવેલ છે આ લોકપર્ણ,સન્માન અને સ્નેહમિલન એવા ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી,માળિયા અને ટંકારાના વણકર સમાજના પ્રમુખ ખીમજી ભાઈ એ.મકવાણા અને કે.કે.ભંખોડિયાના માર્ગદર્શનમાં વડીલો, યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text