વાંકાનેરના ગારીડા ગામે ૧૦૦ થી વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે ૧૦૦ થી વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા છે આ ઘટનાની જાણ થતા મેસરિયા પીએચસીમાંથી ડોક્ટરની ટીમ દોડી આવી હતી.

- text

ગામના એક યુવાને જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી ગામમાં પાણી નોહતું આવતું પરંતુ કાલે જ પાણી આવ્યું અને આજે આ ઘટના બની છે એટલે કદાચ ગંદા પાણીના કારણે આ ઘટના બની હોય તેવું પ્રાથમિક તારણ છે. આ ઘટનાની જાણ તાલુકા પંચાયાતના પ્રમુખના પતિ યુનુસ શેરસિયાને થતા તેવો ગારીડા દોડી ગયા હતા અને લોકોને સારવાર માંટેની વ્યવસ્થા કરાવી હતી.

 

- text