મોરબી જિલ્લાના પેન્શનરો જોગ

- text


મોરબી : ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ જે પેન્શરોનું પેન્શન કર્મચારીને મળેલા ઉચ્ચતમ પગાર ધોરણ, સિલેક્શન ગ્રેડ, સિનિયર ગ્રેડ ધ્યાનમાં લીધા સિવાયના હોદાના પગાર ધોરણને ધ્યાનમાં લઈ પેન્શન નક્કી થયેલ હોય તેવા પેન્શનરનું નિવૃત્તિ સિવાયના પગાર ધોરણને ધ્યાનમાં લઈને પેન્શન રિવિઝન કરવાનું થાય છે. તેથી તા. ૧/૧૦/૨૦૦૬ પહેલા તેમજ તા.૧૨/૪/૨૦૦૯ સુધીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તેવા પેન્શનરોએ પોતાની સર્વિસ બુક અને પીપીઓ સાથે તા. ૨૩ જુલાઈથી તા. ૨૮ જુલાઈ દરમિયાન મોરબી જિલ્લા પેન્શન સમાજના કાર્યાલયમાં સમય દરમિયાન સંપર્ક કરવા પ્રમુખ વરસડાની યાદીમાં જણાવાયું છે.

- text

- text