મોરબી : સેવાકીય પ્રવૃત્તિ બદલ વાત્સલ્ય ટ્રસ્ટનું ગુજરાત સરકાર દ્વારા સન્માન

- text


મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા છેલ્લા ૭ વર્ષથી સામાજિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્ર તેમજ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે જેમાં મુખયત્વે ૯૫ ગરીબ કન્યાઓને લગ્નો કરાવી આપી સાસરે વળાવી છે.

તાજેતરમાં પોરબંદર ખાતે બિરલા હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખનું પરેશભાઈ પરિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે રાજ્યના હેલ્થ મિનિસ્ટર ડો.રવી જયંતી, બાબુભાઈ બોખરીયા, પોરબંદર કલેકટર અશોક કાલરીયા, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડો.ગૌરવ દહિયા, પદ્મશ્રી ડો.કે એમ આચાર્ય અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

- text