મોરબીમા કુતુહુલ : આંકડાના મૂળમાંથી રિધ્ધી સિધ્ધી સહીતના ગણપતિજી પ્રગટ થયા

- text


મોરબી : મોરબીના સનાળા રોડ પર વર્ષોથી બંધ પડેલા મકાનનું રીનોવેશન કરતા સમયે મકાનમાંથી આકડાનું ઝાડ કાપતા મૂળમાંથી રિદ્ધિ સીધી સહિતના ગાંપતિજીની પ્રતિમા જેવું મૂળ નીકળતા ભારે કુતુહલ સર્જાયું છે.
પ્રાપ્ય વિગતો મુજબ મોરબી શનાળા રોડ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ મા મકાન નં-૫૩૬ ઘણા સમય થી બંધ પડેલ હતુ. જે મકાન મા જાત જાત ના છોડ ઉગી નિકળ્યા હતા. તે મકાનની ખરીદી તાજેતરમા મોરબીના નયનભાઈ કોટક દ્વારા કરવામા આવેલ હતી. મકાનનુ રીનોવેશન શરૂ કરતી વખતે કુદરતી રીતે ઉગી નિકળેલ છોડને કાપતી વખતે આંકડા ના છોડ નુ મૂળ રિધ્ધી સિધ્ધી સહીત ના ગણપતિજી ના આકાર નુ નિકળ્યુ હતુ એ જોઈ બધા અચંબિત થઈ ગયા હતા.

- text

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યનુ શરૂઆત પહેલા ગણપતિજીનુ સ્થાપન તેમજ પૂજન કરવા મા આવે છે ત્યારે કુદરતી રીતે પ્રગટેલ ગણપતિજીને જોઈ પરિવારજનો ધન્યતા અનુભવી રહ્યા છે.

- text