મોરબીના રણછોડનગરમાંથી સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતી મુસ્લિમ સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિવારની ૧૬ વર્ષની સગીર પુત્રીનું કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા સગીરાની માતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી અપહરણકર્તાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text