- text
વાંકાનેર:વાંકાનેરના સિંધાવદરમાં ગઈકાલે બપોરે કેનાલમાં ડૂબી જતાં કોળી કિશોરનું મોત નિપજતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
- text
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ કોળી ઉ.૧૫ ગઈકાલે રાજકોટ રોડ પર આવેલ કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
- text