મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૩,૪૨,૬૦૦ ફાળો આપતા ટંકારા તાલુકાના શિક્ષકો

- text


ટંકારા:ગુજરાત રાજ્યના પુર પીડિતોને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના સાથે ટંકારા તાલુકાના શિક્ષકો દ્વારા ૩,૪૨,૬૦૦નો ફાળો મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા માટેનો ચેક જિલ્લા કલેકટર મોરબીને સુપ્રત કરવામાં આવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ટંકારા તાલુકાના શિક્ષકો દ્વારા રાજ્યના પુર પીડિતો માટે રૂપિયા ૩,૪૨,૬૦૦ની ધનરાશિ એકત્રિત કરી આ સહાયની રકમનો ચેક ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા,કોષધ્યક્ષ નિતેષભાઈ રંગપડીયા, મોરબી સંઘના કે.પી.ઓડિયા,મહામંત્રી સી.એમ.કાનાણી,ટંકારાના પ્રમુખ મણિલાલ કાવર,મહામંત્રી વીરમભાઈ દેસાઈ,કંચનબેન બોડા,અનસોયાબેન ભુવા,મગનલાલ ઉજરીયા તથા સંદીપભાઈ આદ્રોજા સહિતનાઓએ જિલ્લા કલેકટર આઈ કે પટેલને સુપરત કર્યો હતો.

 

 

- text