૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે મચ્છુ-૨ ડેમ પર રોશની-લેઝર શો યોજાશે

- text


નર્મદા મહોત્સવ અંતર્ગત મચ્છુ ડેમ થશે ઝાકમઝોળ

મોરબી : આગામી તા.૧૬ અને ૧૭ના રોજ નર્મદા મહોત્સવ અંતર્ગત મોરબીના મચ્છુ-૨ ડેમને રોશની અને લેસર શો થી ઝાકમઝોળ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કાર્યપાલક ઈજનેર મોરબી સિંચાઈ વિભાગ દ્વારા આગામી તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે મોરબી મચ્છુ-૨ ડેમ ખાતે રાશની,એલ.ઇ.ડી.,તથા લેસર શોનું ભવ્ય આયોજન કરેલ છે.
વધુમાં નર્મદા મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલા આ રોશની અને લેસર શો ના ભવ્ય કાર્યક્રમનો લાભ વધુને વધુ લોકોને મળે તે હેતુથી સિંચાઈ વિભાગ દ્વારા તમામ ગામોના સરપંચોને પત્ર પાઠવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text