ટંકારા: આર્યસમાજના સ્થાપક ઋષીની જન્મભૂમિમા આર્યસમાજનો 34મો સ્થાપના દિન ઉજવાયો

- text


ટંકારામા જન્મીને દેશ-દુનિયામાં આર્યસમાજની સ્થાપના કરનાર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેઓએ આર્ય બહેનોનું સૂત્ર આપીને લોકો આર્ય બને માટે આર્યસમાજની  સ્થાપના કરી ત્યાર બાદ સમગ્ર હિદુસ્તાનમાં ઠેર ઠેર  આર્યસમાજ બનાવ્યા હતા. ત્યારે ટંકારા શહેરમાં પણ ત્રણ હાટડી ખાતે ભવ્ય સમાજની સ્થાપના કરવામાં આવી. આજે 34 વર્ષ પૂરા થતા સ્થાપના વર્ષ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસગે આર્યસમાજના આગેવાનો તથા ટંકારાના ગ્રામજનો વિરો-વિરાંગના હાજર રહ્યા હતા.
વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુઘારક અંધશ્રધ્ધા, કુરિવાજો સામે બંડ પોકારી વિશ્ર્વભરમા સામાજીક ક઼ાંતિકારી થકી ઋષી તરીકે ખ્યાતિ પામીને ટંકારાનુ નામ રોશન કરી વૈદિક ધર્મની આહલેક જગાવી આર્ય ધર્મ સ્થાપ્યો હતો. આર્યધર્મના પ્રચાર-પ્રસારનુ કામ કરતી ટંકારા શહેરના ત્રણહાટડી પાસે આવેલ આર્યસમાજ સંસ્થાની ભગીની પાંખ અને યુવાનોના તન અને મનનુ ઘડતરનુ સરાહનિય કામ કરતી આર્યવિર દળ સંસ્થની સ્થાપના ૧૯૮૪મા કરવામા આવી હતી.
આજે રવિવારે આર્યવીર દળના ૩૪મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી જેમા કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાની દૈનિક પ઼
પ્રવૃતિ મુજબ સવારે ૮:૩૦ કલાકે વૈદિક યજ્ઞથી કર્યો હતો બાદમા સાડા નવ વાગ્યાથી આર્યવિરોની અભિવ્યક્તિ,પુરસ્કાર વિતરણ, મમહાનુભાવોના પ્રવચન, સંસ્થાનો પરિચય સહિતના કાયઁક઼મો આ તકે આર્ય ધર્મના પ્રચાર-પ્રસારને વેગવંતી કરવાની ઝુંબેશ, લોકોને વેદ તરફ પાછા વળોના સૂત્રો અનુસાર વેદધર્મના માગેઁ વાળવા પ઼યાસ કરાશે. કાર્યક્રમ દરમિયાન આર્યસમાજના ઉતરપ્રદેશના સુલતાનપુરના ધનપતગંજ વેદવેદાંત વિધાપીઠ ગુરૂકુળના આચાર્ય ડો.શિવદત પાંડે ખાસ ઉપસ્થિત રહીને વેદ,ઉપનિષદ, વૈદિક ધર્મનો અર્થ સમજાવી ધર્મપથ ઉપર આગળ વધવાનુ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.  દયાનંદ સરસ્વતી ગુરુકુળના આચાર્ય રામદેવજી એ વિગત વાર માહિતી આપી હતી. આ આર્યસમાજના પ્રમુખ હસમુખજી પરમાર અને પંડિતજી દ્વારા તમામ આર્યનુ અભિવાદન કર્યું હતું અંતિમ ચરણમા ઉપસ્થિતો, આમંત્રિતો માટે સમુહમા પ્રિતીભોજનનુ આયોજન કરાયુ હતુ.

- text