ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

- text


મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે પહોંચવાની છે.

આ ધર્મ રથયાત્રામાં ક્ષત્રિય સમાજના લોકો પાઘડી સાફા તેમજ રાજપુતાના પોશાકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આ રથયાત્રા શક્ત શનાળાથી ટંકારા તાલુકાના વિરપર, લજાઈ, સજનપર, મિતાણા, વિરવાવ, નેકનામ, જોધપર ઝાલા, મેઘપર ઝાલા, બંગાવડી, ધૂનડા, મોટા ખીજડિયા, નાના રામપર, મોટા રામપર, નસીતપર, જીવાપર ફરવાની છે. તેમ કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા (મધુપુર)ની યાદીમાં જણાવાયું છે.

- text

- text