તા.28મીએ મોરબીમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા પક્ષીઓની સેવા માટે મેગા વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત આગામી તા.28ના રોજ ચકલીના માળા, ચણ, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આગામી તારીખ 28 એપ્રિલ ને રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા મોરબીના દરબારગઢ વિસ્તારમાં શ્રી રામ મંદિર પાસે સવારે 9-30 થી બપોરે 12-30 સુધી ચકલીના માળા, ચણ/પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. જ્યારે કુંડાના સ્ટેન્ડ, સાંકળવાળા કુંડા તથા ડિઝાઈનર માળા રાહત દરે આપવામાં આવશે. તો સમગ્ર મોરબીની જનતાને આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર- 83482 12345 સંપર્ક કરી શકાશે.

- text

- text