Morbi: 20મીએ વૈદિક પેરેન્ટિંગ સેમિનાર યોજાશે 

- text


મોરબી: આજકાલ બાળકોના વ્યવહારને લઇ વાલીઓમાં ફરિયાદો હોય છે. ત્યારે આ સમસ્યાને પગલે શહેરની સાર્થક વિદ્યામંદિર તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ દ્વારા વૈદિક પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 એપ્રિલ શનિવારના રોજ સાંજે 5:00 થી 7.00 સુધી કેસર બાગ પાસે આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં વકતા તેમજ સંસ્કૃતિ આર્ય ગુરૂકલમ્ રાજકોટના સંચાલક વૈદ્ય આચાર્ય મેહુલભાઈ-દર્શનાચાર્ય વાલીઓને માર્ગદર્શન પૂરું પાડશે. કાર્યક્રમનાં સમયનાં 10 મિનિટ પહેલા આવવા વિનંતી કરવામાં આવી છે. તેમજ આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન તથા અન્ય વિશેષ જાણકારી મેળવવા 9664911182, 8140140014 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text