મોરબીમાં આજે રાજભા ગઢવી લોકડાયરોમા જમાવટ કરશે

- text


મોરબી : મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં આજે તારીખ 18 એપ્રિલ ને ગુરુવારના રોજ રાત્રે મોરબીમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી લોકડાયરોમા જમાવટ બોલાવશે.

મોરબીમાં તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. ત્યારે આજે આ કથા નિમિત્તે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલી બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (શ્રીકૃષ્ણ ધામ) ખાતે આજે 18 એપ્રિલના રોજ રાત્રે યોજાનાર લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી ઉપસ્થિત રહી લોક સાહિત્યની રમઝટ બોલાવશે.

- text

- text