પાણી ભરીને રાખજો ! સોમવારે આખા મોરબી શહેરમાં પાણીકાપ

- text


નટરાજ ફાટકે ઓવરબ્રિજના કામ માટે પાણીની લાઈનના શીફ્ટીંગને કારણે પાણી વિતરણમાં વિક્ષેપ

મોરબી : મોરબીમાં પાણીની મુખ્ય લાઈનના શીફ્ટીંગ કામને લઈને સોમવારે એક દિવસ માટે નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રાખવામાં આવશે જેથી ભરઉનાળે મોરબીવાસીઓને એક દિવસનો પાણીકાપ સહન કરવો પડશે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે શહેરમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય જેને આનુસંગિક કામ કરવા માટે પાણીની લાઈનનું શિફ્ટટિંગ કરવામાં આવશે. આ માટે મોરબી શહેરમાં તા.15ને સોમવારના રોજ સવારથી રાત્રી સુધી પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

- text

- text