Wankaner: રાજપૂત સમાજ રૂપાલા સામે આગબબુલા, ચૂંટણી પંચ પાસે કરી આવી માગ 

- text


Wankaner: વાંકાનેર રાજપુત સમાજ દ્વારા આજરોજ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી પગલાં ભરવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

આજરોજ મોટી સંખ્યામાં રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલા દ્વારા સમાજ વિશે વિવાદિત નિવેદન અપાયું હોય, જે બદલ તેમની સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે.

વધુમાં જણાવ્યું હતું કેસ પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર હતો તેવા ખોટા નિવેદનથી સમાજને માનહાની થઈ છે અને સમાજની લાગણી દુભાણી છે. રૂપાલાએ આ નિવેદન બદલ જ્ઞાતિ જાતિમાં વૈમનસ્ય ઉભુ કરતા આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલંઘન કર્યું છે. જ્ઞાતિ-જાતિ વચ્ચે વેર ઝેર વધે તેવા શબ્દો બોલાયા હોય જેથી તેમના ઉપર ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી અન્ય કોઈપણ વ્યક્તિ સમાજ વિરોધી જાહેર ખોટા નિવેદનો ન કરે તેવી માંગ કરી હતી.

- text

- text