Wankaner: વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


Morbi: મોરબી જિલ્લાનાં વાંકાનેરમાં આવેલી વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જગોદણા જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીના માતા પુનમબેન, પિતા નરેશભાઈ તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા ખૂબ તૈયારીના પરિણામના સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરિવાર તરફથી જેનિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.6 થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક તેમજ અઘરી માનવામાં આવે છે.

- text