જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના પરીક્ષાના તાલીમ વર્ગની મુલાકાત લેતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી

- text


મોરબી : આંબાવાડી સી.આર.સી ખાતે દરેક શાળાના પ્રથમ અને દ્વિતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાની પૂર્વ તૈયારી માટે દર રવિવારે તાલીમ વર્ગ ચલાવવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ આ તાલીમ વર્ગની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ લીધી હતી.

આ તાલીમ વર્ગનું સંચાલન સીઆરસી કોર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા દ્વારા તથા વર્ગનું શૈક્ષણિક કાર્ય સીઆરસીની સમાવિષ્ટ શાળાઓના વિષય નિષ્ણાંત અને સુનંદા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. આ તાલીમ વર્ગમાં આજરોજ જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચરે આંબાવાડી વર્ગની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ હાજર સ્વયંસેવક શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો ઉત્તમ દેખાવ કરે તે માટેના પ્રયત્નો અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

- text

- text