પવન હોસ્પિટલમાં હરસ, મસા, ભગંદર, ફિશર તેમજ પેટના રોગોનો મંગળવારથી ત્રણ દિવસ ફ્રી નિદાન કેમ્પ

 

હોસ્પિટલના બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સેવાકીય આયોજન : ઓપરેશન પણ રાહતદરે કરી અપાશે : ઓપરેશન કરતા મેડીસીનથી સમસ્યા મટાડવાનો અભિગમ : નિષ્ણાંત ડો. કશ્યપ શેરસિયાની દરરોજ સેવા મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ પવન સર્જીકલ હોસ્પિટલે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ નિમિત્તે અહીં મંગળવારથી ત્રણ દિવસ હરસ, મસા, ભગંદર, ફિશર જેવા રોગો તેમજ પેટ અને આંતરડાના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. સાથે રાહતદરે ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

મોરબીના શનાળા રોડ ઉપર ગુરૂ દત્તાત્રેય મંદિરની પાછળ કિલ્લોલ હોસ્પિટલ સામે મણીયાર હોસ્પિટલની અંદર પવન સર્જીક હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં અદ્યતન ઓપરેશન થીયેટર સાથે સ્પે. રૂમની સુવિધા છે. ઉપરાંત ડે-કેર યુનિટ અને લેડીઝ સ્ટાફની સુવિધા પણ છે. અહીં ડો. કશ્યપ શેરસિયા- કન્સલ્ટન્ટ પ્રોકટોલોજિસ્ટ એન્ડ એએનઓ રેક્ટલ સર્જન, સર્ટિફાઇડ સ્પેશિયાલિસ્ટ ઈન ક્ષારસૂત્ર ( બીએએમએસ, સીકેએસટી) દરરોજ સેવા આપે છે. ઓપરેશન કર્યું હોય છતાં ફેરફાર ન થતો હોય તેવા દર્દીઓની અહીં વિશેષ સારવાર થાય છે. અહીં પ્રેગ્નન્સી વખતે પ્રેગ્નન્સીમાં નડતરરૂપ ના થાય તેવી મેડિસિન દ્વારા સારવાર કરવામાં આવે છે. વધુમાં અહીં લેડીઝ પેશન્ટ માટે લેડીઝ સ્ટાફ પણ છે. આ હોસ્પિટલે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. જે દરમિયાન 1000થી વધુ દર્દીઓનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવી છે.

હોસ્પિટલમાં હરસ, મસા, ફિશર તથા ભગંદર જેવા રોગમાં સચોટ નિદાન અને સારવાર થાય છે. ક્ષારસુત્ર પધ્ધતિથી સંડાસનો કંટ્રોલ ન જાય તેવા પ્રકારના ઓપરેશન થાય છે. હરસ, મસા, રોગોમાં ઇલેકટ્રોકોટરી દ્વારા, Sclerotherapy (ઇન્જેકશન દ્વારા) તેમજ RBL(Rubber Band Ligation) જેવી આધુનિક પધ્ધતિથી સારવાર થાય છે.

આ ઉપરાંત PILONIDALSINUS (નાસુર)ની આધુનિક પધ્ધતિથી સારવાર, પેટનાં રોગો-આંતરડાનાં જૂના હઠીલા રોગો, જૂની કબજીયાત, ગેસ, મરડો, અપચો, મંદાગ્નિ, અલ્સરેટીવ કોલાઇટીસ વગેરે પાચનતંત્રના રોગોની સલાહ અને સારવાર, મળમાર્ગના દરેક રોગમાં યોગ્ય તપાસ અને ઓપરેશનથી તેમજ ઓપરેશન વગર સારવાર મળે છે. અહીની સારવાર બાદ લાંબો સમય હોસ્પિટલમાં રહેવાની તેમજ સંપૂર્ણ આરામની જરૂર પડતી નથી. સારવાર દરમ્યાન રોગી પોતાની રોજીંદી કામગીરી સરળતાથી કરી શકે છે.

અહીં ઓપરેશન કરતા મેડીસીનથી સમસ્યા મટાડવાનો અભિગમ વાપરવામાં આવે છે. રોગોમાં જો શરૂઆતના તબક્કામાં જ સારવાર કરવામાં આવે તો ઓપરેશનની જરૂર પડતી નથી.


રોગોના લક્ષણો
● વારંવાર પેટ સાફ કરવા જવું
● સંડાસમાં લોહી પડવું
● સંડાસ વખતે બળતરા થવી
● મળમાર્ગમાં દુઃખાવો થવો

કેમ્પ : તા.19,20,21 માર્ચ
પવન સર્જીકલ હોસ્પિટલ
મણીયાર હોસ્પિટલની અંદર
કિલ્લોલ હોસ્પિટલ સામે,
ગુરૂદત્તાત્રેય મંદિરની પાછળ
શનાળા રોડ, મોરબી
મો.નં.9909892392