હળવદમાં આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કાલે સંતવાણી કાર્યક્રમ યોજાશે

- text


હળવદ : હળવદમાં ઠાકર પરિવાર દ્વારા વૈજનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેનો બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. જેમાં કાલે સંતવાણી યોજાશે.

- text

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ગૌભક્ત ધનેશ્વરભાઈ જોષી (પંડીત) વ્યાસપીઠેથી રસપાન કરાવી રહ્યા છે. સાત દિવસ ચાલનાર આ સપ્તાહમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે અને હજુ આગામી તા.8ને ગુરૂવાર સુધી ચાલવાની છે ત્યારે તા.5ના ધ્રાંગધ્રાના કાનેશ્વર મહાદેવ મંડળ દ્વારા રાત્રે 8 કલાકે શિવ મહિમ્ન સ્ત્રોતનો કાર્યક્રમ યોજાશે તેમજ તા. 6ના સાંજના 5 કલાકે ભજનાનંદ આશ્રમ બોટાદના સંત આત્માનંદજી સરસ્વતી ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. તેમજ તા. 6ના રાત્રીના 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અપેક્ષાબેન પંડ્યા, જયમંતભાઈ દવે, પ્રદીપદાન ગઢવી સહીતના કલાકારો પોતાની આગવી શૈલીમાં ભજનો પ્રસ્તુત કરશે.

- text