મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

- text


મોરબી : મોરબીના સામાકાંઠે અરુણોદયનગર સોસાયટી શેરી નં.2ની મહિલા મંડળ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રભુ શ્રી રામની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત શબરીબાઈ જેવા પાત્રો ભજવવામાં આવ્યા હતા. આ વેળાએ સ્થાનિક બહેનો ભાવભેર ઉજવણીમાં સામેલ થયા હતા.

- text