મોરબીનું ઉમિયાનગર પ્રભાતફેરી અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોથી બન્યું રામનામમાં લીન

- text


મોરબી : મોરબીના સામાકાંઠે ઉમિયાનગરમાં આવેલ ધારવાળા હનુમાનજી મંદિરે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રભાતફેરી, શોભાયાત્રા અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ કાર્યક્રમોમાં જોડાઈને ધર્મલાભ લીધો હતો.

- text