મોરબીમાં તા.22મીએ દરબાર ગઢથી નગર દરવાજા ચોક સુધી ભવ્ય શોભાયાત્રા તથા મહાઆરતી યોજાશે

- text


મોરબી : આગામી 22/1/2024ને સોમવારે મોરબીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સાંજે શોભાયાત્રા તથા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યારે મોરબીના નગર દરવાજા ચોક ખાતે શોભાયાત્રા તથા મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાજતે ગાજતે શોભાયાત્રા સાંજે 5:00 કલાકે દરબાર ગઢથી નગર દરવાજા ચોક સુધી યોજાશે. આ સાથે શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા અંગારા રાસ પણ રજૂ થશે. મહાઆરતી સાંજે 7:00 કલાકે નગર દરવાજા ચોક ખાતે કરવામાં આવશે. આ અવસરે તમામ હિન્દુ સમાજના ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે. તેમજ આરતીની થાળી ઘરેથી સજાવીને લઈ આવવાની રહેશે.

- text

- text