તા.3 જાન્યુઆરીએ શનાળાના શક્તિ માતાજીના મંદિરે સંતવાણી યોજાશે

- text


મોરબી : શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે આગામી તારીખ 3 જાન્યુઆરીના રોજ મહંત શાંતીગીરી (મોટા ભીખુગીરીબાપુ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ભવ્યોત્સવ નિમિત્તે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા.3 જાન્યુઆરીને બુધવારે રાત્રે 10 કલાકે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સાહિત્યકાર લાભુભા ગઢવી અને ભજન કલાકાર રામદાસ ગોંડલીયા ઉપસ્થિત રહી ભજન અને સાહિત્યરસ પીરસશે. તો આ સંતવાણી કાર્યક્રમને માણવા માટે સંજયગીરી શાંતીગીરી ગોસ્વામી અને કૌશિકગીરી શાંતીગીરી ગોસ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text