વાંકનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્નીના સ્મરણાર્થે આજે રાત્રે ભક્તિ સંધ્યા યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ (જીતુભાઈ) સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય સ્વ. જ્યોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ અર્થે આજે 1 ડિસેમ્બર ને શુક્રવારના રોજ રાત્રે ભક્તિ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.1 ડિસેમ્બર ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે વાંકાનેરના માર્કેટ ચોક ટાઉનહોલ ખાતે જ્યોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ અર્થે ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે. જેમાં ગોંડલના સુપ્રસિદ્ધ ધર્મેશભાઈ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખી (ભક્તિ સંખ્યા) રજુ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text