જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

- text


મોરબી :બમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પલાણ પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 2 ડિસેમ્બરને શનિવારે કથા પ્રારંભ થશે. જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે 3:00 થી સાંજના 7:00 વાગ્યાં દરમ્યાન પ. પૂ. શાસ્ત્રીજી દિલીપભાઈ વ્યાસ (આંદરણાવાળા) વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. પ્રથમ દિવસે પોથીયાત્રા બાદ દરેક દિવસે અનુક્રમે વિશેષ આયોજન જેવા કે કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, બાળચરિત્ર અને ગોવર્ધનપૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર પઠન કરાશે. તારીખ 9 ડિસેમ્બરના રોજ બપોરે 1 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. 8 ડિસેમ્બરના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે. આ ધાર્મિક આયોજનમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આયોજક પલાણ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text