- text
વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા રોડ ઉપર રહેતા યુવાનની રિસામણે ગયેલી પત્નીએ પોલીસ કેસ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ખાતે જીનપરામાં રહેતા અને પીપરમેન્ટ બિસ્કિટની ફેરી કરતા અભીજીતભાઇ હસમુખભાઇ ભીંડોરા (ઉ.38)નામના યુવાને ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- text
વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર અભીજીતભાઇ પીપરમેન્ટ બિસ્કીટની ફેરી કરી ગુજરાન ચલાવે છે અને માતા-પિતા સાથે રહે છે. થોડા વર્ષ પહેલા તેણે મોરબીના દિપ્તીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા અને દિપ્તીબેનના પણ આ બીજા લગ્ન હતાં. પરંતુ પાંચ છ મહિના પહેલા તેણી મોરબી માવતરે રિસામણે જતી રહી હોય અને વારંવાર સમજાવવા છતાં તેણી પાછી આવતી ન હોય અને માતા-પિતા તેમજ યુવાન વિરુદ્ધ પોલીસ કેસ કરતા કંટાળી જઇ આ પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યું છે.
- text