મોરબી અપડેટના નવા શો “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ-6માં સાંભળો લોકસાહિત્યકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા માયાભાઈ આહીરને..

- text


મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે છઠો એપિસોડ આવતી કાલે તારીખ 9 ઓક્ટોબર ને બપોરે ૦૧:૦૦ વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના છઠા એપિસોડમાં કમ્ફર્ટ રિસોર્ટ ખાતે જાણીતા લોકસાહિત્યકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનીત એવા માયાભાઈ આહીર સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં માયાભાઈના જીવનને લગતી વાતો, જીવનના સંઘર્ષ, માયાભાઈનું જીવન પેહલા કેવું હતું, આ સફરની શરૂઆત કઈ રીતે થઈ. તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text