- text
વાંકાનેર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કરવા માટે 1 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશવાસીઓને સ્વચ્છતાના શ્રમદાનમાં જોડાવવા આહ્વાન કર્યું હતું. આ આહ્વાનને ઝીલીને વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા જિલ્લા સંગઠન, નગરપાલિકા,હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કરી સ્વચ્છ ભારતના સારથિ બન્યાં હતા
- text
- text