- text
ગામલોકોએ સસ્તા અનાજની દુકાનને તેમના ગામમાં જ રાખવાની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને રજુઆત કરી
મોરબી : મોરબીના ભડીયાદ, જોધપર ગામની રેશનિંગની દુકાનનું અન્યત્ર સ્થળાંતર કરાતા ગામલોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આથી ગામલોકોએ સસ્તા અનાજની દુકાનને તેમના ગામમાં જ રાખવાની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને રજુઆત કરી છે.
મોરબીના ભડીયાદ અને જોધપર ગામની સસ્તા અનાજની દુકાનનું ગામથી ભડિયાદના કાંટા પાસે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આથી ગામલોકોને ભારે હાલાકી પડે છે. આ અંગે ભડિયાદ ગામના લોકોએ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાને રજુઆત કરી હતી કે, ભડિયાદ ગામમાં અગાઉ સસ્તા અનાજની દુકાન હોવાથી ગામલોકોને રેશનિંગનો જથ્થો મેળવવામાં સરળતા રહેતી હતી. પણ આ સસ્તા અનાજની દુકાનને ગામથી ભડિયાદ કાંટા પાસે ખસેડી દેવાતા લોકોને દૂર દૂર રેશનિંગનો જથ્થો લેવા જવો પડે છે. આથી ગામમાં સસ્તા અનાજની દુકાન રાખવાની ગામલોકોએ માંગ ઉઠાવી છે.
- text
- text