મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન

- text


મોરબી : મોરબીમાં રહેતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું ગતરાત્રીના હાર્ટ એકેટથી અવસાન થયું હતું. ગતરાત્રીના હૃદયરોગનો હુમલો આવતા ભુપેન્દ્રસિંહ જાડેજાનું અવસાન થયું હતું. મિલનસાર સ્વભાવ ધરાવતા એડવોકેટના ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનો જીવનદીપ બુઝાતા તેમના પરિવાર અને મોરબીના વકીલ આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

- text

મૂળ ઘુંનડા (સ) હાલ મોરબી નિવાસી એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું તા.23ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.25 સપ્ટેમ્બરને સોમવારે સાંજે 4થી7 દરમિયાન દાઉદી પ્લોટ-4, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text