મોરબીની લખધીરનગર શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમા તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લખધીરનગર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર દ્રારા લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમા તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ હતું. આ સ્પર્ધામા કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિધાર્થીઓ દ્રારા પોતાની અલગ શૈલીમા વ્યસનની ગંભીર અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામા આવેલ હતા. ત્યારબાદ સ્પર્ધામા વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામા આવેલ હતા. તેમજ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર આરતીબેન મહેતા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ, PHC સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ, MPW સંજયભાઈ ડાંગર તથા FHW જ્યોતીબેન કાંજીયાએ ભારે જહેમત ઉઠાવી હતી..

- text